ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જીને મળ્યા હતા. ૧૯ મી સદીના મહાન સંત, મહિલા શિક્ષણ અને વંચિતો – શોષિતોના ઉદ્ધાર માટે ઐતિહાસિક પહેલ કરનાર ભારતીય નવજાગરણના પ્રણેતા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીના અવસરે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ શૃંખલામાં ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારામાં તા. ૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન યોજાનારા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને નિમંત્રણ પાઠવ્યું હતું. આ અવસરે આર્ય સમાજના વિભિન્ન સંગઠ્ઠનોના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા